Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તથા જાણીતા ટેકસ કન્સલ્ટન્ટ ગોરધનભાઇ રાચ્છનું દુઃખદ અવસાન

લોહાણા સમાજને કદી ન પૂરાય તેવી ખોટ પડીઃ રાજુભાઇ પોબારૂ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તથા જાણીતા ટેકસ કન્સલ્ટન્ટશ્રી ગોરધનભાઇ રામજીભાઇ રાચ્છ (ઉ.વ.૭૦) નું આજરોજ  દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. ગોરધનભાઇ રાચ્છે ગુજરાત સરકારના સેલ્સટેક્ષ વિભાગમાં આસીસ્ટન્ટ સેલ્સટેક્ષ ઓફીસર તરીકે વર્ષો સુધી કાર્યદક્ષ રીતે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

રાજકોટ લોહાણા મહાજન તથા તેની સંલગ્ન સંસ્થાઓમાં તથા સમાજની અન્ય સંસ્થાઓમાં પણ સ્વ. ગોરધનભાઇ રાચ્છ દ્વારા આર્થિક, નૈતિક, વૈચારિક તથા કારકીર્દીલક્ષી મહામૂલૂ યોગદાન આપવામાં આવી રહ્યું હતું. સ્વ. ગોરધનભાઇ રાચ્છના અચાનક નિધનથી લોહાણા સમાજને કદી ન પુરાય તેવી ખોટ પડી હોવાનું શ્રધ્ધાંજલીરૂપે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું.

(3:46 pm IST)