Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભાજપ કાર્યાલયે ગણેશ મહોત્સવનું સમાપનઃ દશાંશ હવન બાદ મૂર્તિ વિસર્જન

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય સિધ્ધ વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદ્દગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલું જેનું ગણપતિ મહારાજના દશાંશ હવન સાથે ગણપતિ મહોત્સવનું સમાપન કરવામાં આવેલ. ગણપતિ બપ્પા મોરીયા અગલે બરસ તુ જલ્દી આ'ના ના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાઇ આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મોહનભાઇ કુંડારીયા, અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, નરેન્દ્ર ઠાકુર, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, રક્ષાબેન બોળિયા, ભાનુબેન બાબરીયા, ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, વીનુભાઇ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, રાજુભાઇ બોરીચા, વિક્રમ પુજારા, અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, કિરણબેન માંકડીયા, મહેશ અઘેરા, લલીત વાડોલીયા, યાકુબ પઠાણ, સહિતના સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, કોર્પોરેટરો તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાઇ આ વિસર્જન મહાઆરતીનો લાભ લઇ ગણપતિને પ્રિય મોદકનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગણપતિ દાદાની મૂર્તિનું ભાજપ કાર્યાલય ખાતે જ કુંડમાં વિસર્જન કરાયું હતું. આ તકે ગણપતિ યજ્ઞમાં જે.પી.ધામેચા અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રી બાલુભાઇ મહારાજ તથા અન્ય ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રભાઇ ઠાકુરે સૌનો જાહેર આભાર વ્યકત કર્યો હતો. આ મહોત્સવને સફળ બનાવવા કાર્યાલય પરિવારના અનિલભાઇ પારેખ, હરેશ જોષી, પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, જયંતભાઇ ઠાકર, પોપટભાઇ ટોળીયા, પંકજભાઇ ભાડેશીયા, રાજુભાઇ કુંડલીયા, રાજન ઠકકર, વિજય મેર, નલ્લારીયાન પંડિત, ચેતન રાવલ, રાજ ધામેલીયા, ભાવિન ધોળકીયા, નવનીતભાઇ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:25 pm IST)