Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જીવનનગરમાં અબીલ ગુલાલ, ડીજેના ઘોંઘાટ વગર સાદાઇથી વિસર્જન

 

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે ગણપતિ મહોત્સવનું ભાવપુર્ણ સમાપન થયું હતું. સામુહિક આરતી સાથે સાદાઇથી વિસર્જન કરવામાં આવ્યુ હતું.

મહોત્સવના પ્રયોજક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણાની સંયુકત જવાબદારી વચ્ચે દરરોજ પ્રસાદ વિધિવિધાન કરવામૉ આવતા હતા.

સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઇ પોપટ, પ્રફુલભાઇ બારોટ, સંજય ધકાણ, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, વિનુભાઇ ઉપાધ્યાય, વિજયભાઇ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઇ ગોહેલ, પંકજભાઇ મહેતા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા,  શોભનાબેન ભાણાવડિયા, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા વકીલ, સોનલબેન મકવાણા, કલ્પનાબેન દવે, પ્રફુલ્લાબેન બોરીચા, આશાબેન મજેઠીયા, જસ્મીતાબેન આચાર્ય, નેહાબેન મહેતા વિ. જોડાયા હતા.(

(4:43 pm IST)