Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આર.એસ.એસ. દ્વારા ગણપતિ મહોત્‍સવના સંચાલકોનું સન્‍માન

રાજકોટ : દેશભરમાં ઉજવવામાં આવેલ ગણપતિ ઉત્‍સવ દરમિયાન રાજકોટ મહાનગરના પાંચ ઝોનમાં ગણેશ પંડાલમાં આયોજકોને ધર્મ અને સંસ્‍કૃતિના રક્ષણ માટે કામ કરવા બદલ પ્રોત્‍સાહીત કરવા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા ગણપતિ મહોત્‍સવના સંચાલકોને ભારતમાતાનો ફોટો આપી ખેસ પહેરાવી અભિવાદન કરાયુ હતુ. જેમાં સત્‍ય સાંઇ રોડ કા રાજા, સાંઇરાજ ગ્રુપ, સરદાર ગ્રુપ માયાની ચોક, જાગનાથ પોલીસ ચોકી પાસે, મહારાષ્‍ટ્ર મંડળ મોટી ટાંકી ચોક, જય જવાનનગર રાધામીરા વસ્‍તી સહીત ૫૦ થી વધુ પંડાલોની મુલાકાત લઇ તેમના સંચાલકોનું સન્‍માન કરાયુ હતુ. આ અભિવાદન કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશ્‍નર રાજુભાઇ ભાર્ગવ, ખુરશીદ અહેમદ સાથે સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઇ ગમઢા, સૌરાષ્‍ટ્ર પ્રાંત સહ વ્‍યવસ્‍થા પ્રમુખ નરેન્‍દ્રભાઇ દવે, નટરાજ ઝોનના ડોકટર હિરેનભાઇ ઠુંમર, ભરતભાઇ કુંવરીયા, મહાનગર સેવા પ્રમુખ, જગતભાઇ વ્‍યાસ પ્રચાર પ્રમુખ મહાનગર, કનુભાઇ વેકરીયા લક્ષ્મી ઝોન સહકાર્યવાહક, સચિનભાઇ દોશી, ડો. પ્રદીપભાઇ ચૌહાણ રણછોડ ઝોન કાર્યવાહક અને મોટી સંખ્‍યામાં સ્‍વયંસેવકો જોડાયા હતા.

(4:13 pm IST)