News of Friday, 9th September 2022
રાજકોટ, તા., ૯: રાજકોટ શહેરમાં ક્ષત્રીય સમાજના શૈક્ષણીક, સામાજીક ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં વસતા ક્ષત્રીય પરીવારોના તેજસ્વી તારલાઓનો તા.૧૧-૯-ર૦રરને રવિવારના રોજ ૪૮ મો વિદ્યા સત્કાર સમારોહ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં ક્ષત્રીય સમાજના પરીવારજનોએ બહોળી સંખ્યામાં હાજર રહેવા સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે.
વિદ્યા સત્કાર સમારોહ રાજયના કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહજી રાણાના અધ્યક્ષસ્થાને યોજાશે. પ્રમુખસ્થાન રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા તેમજ અતીથી વિશેષમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી કિર્તીસિંહજી વાઘેલા, રાજસ્થાન રાજયના ઉર્જા, પાણી પુરવઠા મંત્રી ભવરસિંહજી ભાટી, જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા, ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી જયોતીરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજાના હસ્તે ૩૦૦ થી વધુ સન્માનાર્થીઓને સન્માનીત કરાશે.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ નિષ્ઠા, કુનેહ સાથે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનારા અધિકારીઓ તથા જીપીએસસીમાં ઉર્તીણ થયેલા અધિકારીઓ, રાજકીય, સહકારી ક્ષેત્રે સિધ્ધ મેળવનરા પદાધિકારીઓનું વિશિષ્ટ સન્માન તથા ધોરણ ૧થી હાયર એજયુકેશન સુધી અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચતમ માર્કસ, ડીગ્રી પ્રાપ્ત કરનારા ર૮૦ થી વધુ દીકરા, દિકરીઓનું મહાનુભાવોના હસ્તે તેમને સન્માનીત કરવામાં આવશે. તમામ સન્માનાર્થીઓ પરીવારજનો સાથે તેમજ શહેરમાં વસતા તમામ ક્ષત્રીય પરીવારો બહોળી સંખ્યામાં તા.૧૧-૯-ર૦રરને રવીવારે બપોરે ર.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ રાજકોટ ખાતે હાજર રહે તેવી શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ કાર્યવાહક સમીતી દ્વારા અપીલ કરાઇ છે.