ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-હેડ કવાર્ટર, નવી દિલ્હી દ્વારા રાજકોટના મહિલા તબીબ ડૉ. ગૌરવી ધ્રુવને ટીચીંગ માટેનો ખાસ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો તે પ્રસંગની તસવીરમાં કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીજી, ડૉ. ગૌરવી ધ્રુવને એવોર્ડ અર્પણ કરતા નજરે પડે છે, બીજી તસવીર સમારંભમાં ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે ડો. ગૌરવી ધ્રુવ નજરે પડે છે.
રાજકોટ તા. ૯: એલોપેથીક તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન - હેડકવાર્ટર, દિલ્હી દ્વારા તાજેતરમાં શિક્ષક દિન નિમિતે ઓનરરી
પ્રોફેસર-આઈ.એમ.એ. એવોર્ડ માટે રાજકોટના મહિલા તબીબ ડૉ. ગૌરવી ધ્રુવની પસંદગી કરવામાં આવી હતી અને તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ એક સમારભમાં ત્રણ કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં ડૉ. ગૌરવી ધ્રુવને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે આમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડૉ. સંજય ભટ્ટ અને સેક્રેટરી ડૉ. તુષાર પટેલની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. ટીચીંગ માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત રાજકોટના મહિલા તબીબને આ એવોર્ડ મળ્યો છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવ રૂપ છે. આઈ.એમ.એ. દ્વારા ડૉ. ગૌરવી ધ્રુવ પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.
ડૉ. સંજય ભટ્ટના જણાવ્યા અનુસાર દર વરસે તા. પમી સપ્ટેમ્બરે ડૉ. સર્વપલ્લી રાધાકળષ્ણના જન્મ દિવસ શિક્ષક દિન પ્રસંગે નવી દિલ્હી ખાતે સમારોહ યોજી દેશમાંથી પસંદ કરાયેલાં તબીબોને એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પશુપતિ પારસજી અને મિનાક્ષી લેખીજીની ઉપસ્થિતિમાં યોજાયેલાં સમારભમાં રાજકોટના ડૉ. ગૌરવી ધ્રુવને ટીચીંગ માટેનો ખાસ એવોર્ડ ઓનરરી પ્રોફેસર-આઈ.એમ.એ. અર્પણ કરવામાં આવ્યો છે. રાજકોટના તબીબને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો છે. શિક્ષક હમેશા આદરણીય હોય છે. એમાં પણ મેડિકલ ક્ષેત્રના ટિચર્સ-પ્રોફેસર તો ખુદ તબીબ હોવા સાથે ભાવી તબીબોને તૈયાર કરી મેડિકલ ક્ષેત્ર માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
ડૉ. તુષાર પટેલે જણાવ્યું છે કે, ડૉ. ગૌરવી ધ્રુવ ૧૯૯૭થી પી.ડી.યુ. મેડિકલ કોલેજ-રાજકોટ સાથે જોડાયેલાં છે. તેમણે કોલેજના ડિન તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે. હાલ તેઓ સેકન્ડ યર એમ.બી.બી.એસ. બોર્ડ ઓફ સ્ટડીઝના ચેર પર્સન છે. આઈ.એમ.એ. વિમેન્સ વિંગના વાઈસ પ્રેસીડન્ટ, રાજકોટ એસોસીએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના પે્રસીડન્ટ, એઈમ્સ-રાજકોટની એથીકલ કમીટીનાં ચેર પર્સન તરીકે સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રેકોગ્નાઈઝડ પી.એચ.ડી. ગાઈડ છે, અત્યારે પાંચ સ્ટુડન્ટ તેમની નીચે પી.એચ.ડી. કરી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા ફિમેઈલ આઈકોન મેડિકલ સર્વિસીઝનો એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે એમ.બી.બી.એસ.ના યુ.જી. વિદ્યાથીઓ માટે પેથોલોજી વિષયની વાઈવા વોસ ઈન પેથોલોજી બુક લખી છે જે ગુજરાતની સર્વપ્રથમ પ્રસિધ્ધ થયેલી આ પ્રકારની બુક છે. તેમણે લખેલ ૬૦થી વધુ સંશોધન નિબંધો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પબ્લીશ થયા છે. તેમણે અનેક તબીબી કોન્ફરન્સમાં લેક્ચર્સ લીધા છે, મોડરેટર અને ચેર પર્સન તરીકે સેવા આપી છે. મેડિકલ સ્ટુડન્ટસને તબીબી અભ્યાસની શરૂઆતમાં જ વાતચીતની કલા, મેડિટેશન, યોગનું માર્ગદર્શન આપી તેઓ સમાજને સારા તબીબ મળે એ માટે સતત કાર્યરત રહે છે.
ડૉ. ગૌરવી ધ્રુવ સૌરાષ્ટ્રના જાણીતા આંખના સર્જન ડૉ. અનિમેષ ધ્રુવના ધર્મપત્ની છે. તેમનો પુત્ર યશરાજ દેશની સર્વોચ્ચ ગણાતી કેન્દ્રીય સરકારી મેડિકલ કોલેજ, જીપમેર, પોંડીચેરી ખાતે તબીબ તરીકે ઈન્ટરશીપ કરી સતત પાંચમી પેઢીએ ડોક્ટર બનવા જઈ રહ્યા છે. નાનો પુત્ર ધો. ૧૨માં અભ્યાસ કરે છે.
રાજકોટના તબીબી જગતને ગૌરવ અપાવવા માટે ડૉ. ગૌરવી ધ્રુવને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડૉ. સંજય ભટ્ટ, સેક્રેટરી ડૉ. તુષાર પટેલ, આઈ.-એમ.એ. આઈ.પી.પી. ડૉ. પ્રફ્લ કમાણી, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડૉ. પારસ ડી. શાહ, ઉપપ્રમુખ ડૉ. કાંત જોગાણી, ડા. મયંક ઠક્કર, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, જોઈન્ટ સેક્રેટરી ડૉ. જીજ્ઞેશ ભિમાણી, ડૉ. ઝલક ઉપાધ્યાય, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. બિરજુ મોરી, આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય અગ્રણી ડૉ. અતુલ પંડયા, ગુજરાતના ઉપપ્રમુખ ડૉ. અમીત અગ્રાવત, આઈ.એમ.એ. ગુજરાતના ઝોનલ સેક્રેટરી ડૉ. રશ્મી ઉપાધ્યાય, પેટ્રન ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. ડી. કે. શાહ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. સુશિલ કારીયા, ડૉ. વલ્લભ કથીરીયા, ડૉ. કીર્તિ પટેલ, ડૉ. ભરત કાકડીયા, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. અમિત હપાણી, ડૉ. યજ્ઞેશ પોપટ, ડૉ. ભાવેશ સચદે, ડૉ. દિપેશ ભાલાણી, ડૉ. હિરેન કોઠારી, ડૉ. ચેતન લાલસેતા, ડૉ. જય ધીરવાણી, ડૉ. દર્શના પંડયા, ડૉ. જીતેન્દ અમલાણી, ડૉ. નિતીન લાલ, ડૉ. સ્વાતિપ્રપોપટ, ડૉ. વળન્્દા અગ્રાવત, ડૉ. જયદિપ દેસાઈ સહિતના તબીબોએ શુભેચ્છા પાઠવી છે.