Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મનપા આપને દ્વારઃ કાલે વોર્ડ નં. ૨ અને ૩માં સેવાસેતુ

શાળા નં. ૫૮, બજરંગવાડી ખાતે યોજાશે : શહેરીજનોને આ કાર્યક્રમનો લાભ લેવા પુષ્‍કર પટેલ અમિત અરોરાનો અનુરોધ

રાજકોટ,તા. ૯ : મહાનગરપાલિકા દ્વારા કાલે  તા. ૧૦ ના રોજ વોર્ડ નં. ૨ અને ૩ નો સંયુકત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નં. ૫૯ બજરંગવાડી ખાતે યોજાશે.

આ અંગે સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ યાદીમાં જણાવેલ કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદીજુદી તારીખોએ આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.

જેના અનુસંધાને કાલે તા.૧૦ના રોજ સવારે ૯ કલાકે, મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા, શાળા નં.૫૯, બજરંગવાડી સર્કલ પાછળ, પુનિતનગર ખાતે વોર્ડ નં. ૨ અને ૩નો સંયુક્‍ત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દિપ પ્રાગટ્‍ય સાંસદસભ્‍ય રામભાઈ મોકરીયાના હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર ડાઙ્ઘ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

લોકોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્‍તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્‍થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્‍થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.ᅠઆ તકે લોકો વધુને વધુᅠ સેવાઓનો લાભ લે તેવી સ્‍ટેન્‍ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.

(3:38 pm IST)