Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમે કાલે શ્રી ૧૦૮ હનુમાનબાહુકના પાઠ

રાજકોટઃ પ.પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા નીજ મંદિર હોલમાં ૧૦૮ શ્રી હનુમાન બાહુકનાં પાઠ, શ્રી હનુમાનજી મહારાજનાં અભિષેક સાથે આયોજન કરવામાં આવેલ છે. પુજન તા.૧૦ શનિવારે વહેલી સવારે ૪:૩૦ થી ૬ શ્રી ૧૦૮ હનુમાન બાહુકનાં પાઠનો પ્રારંભ સવારે ૬ વાગ્યેથી થશે અને પૂર્ણાહુતી તા.૧૧ રવિવારે થશે. સર્વધર્મપ્રેમી- બહેનોને લાભ લેવા નિમંત્રણ અપાયું છે. મો.૯૫૮૬૩ ૦૮૧૭૮

(3:35 pm IST)