Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

તપસ્વીઓના પારણાં સંપન્ન

 પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના યોજાઇ. ત્યારે પર્યુષણ દરમ્યાન અલગ- અલગ પરિવારો દ્વારા છઠ્ઠ,અઠ્ઠમ,અઠ્ઠાઇ, ૧૧ ઉપવાસ, ૮-આયંબીલ તપ કરતા તપસ્વીઓએ પારણાં કર્યા હતા. પર્યુષણ મહાપર્વના ૮ દિવસ ઉપવાસ કરી તપસ્યા કરી હતી ત્યારે પર્યુષણ  મહાપર્વ પૂર્ણ થતા તપસ્વીઓના પારણાં યોજાયા હતા. કુમારી ભવ્યા પરેશભાઈ શાહ-૧૧ ઉપવાસ, નેહાબેન ભાવેશભાઈ પુજારા-અઠ્ઠાઇ તપ, કમલેશભાઈ શાહ-અઠ્ઠમ તપ, નિકિતા નિહાર શાહ-અઠ્ઠમ તપ, જય રાજુભાઇ શાહ- અઠ્ઠમ તપ, કુમારી જયશ્રી રાજુભાઈ શાહ-અઠ્ઠમ તપ, રશ્મિબેન નિલેશભાઈ મહેતા-અઠ્ઠમ તપ, પ્રિયંસી નિલેશભાઈ મહેતા-અઠ્ઠમ તપ, ભગવતીબેન પ્રજાપતિ- અઠ્ઠમ તપ,પંડિતજી પ્રશાંતભાઈ શાહ-અઠ્ઠમ તપ વિગેરે ભાવિકોના પારણાં યોજાયા હતા. આ પારણાંનો સંપૂર્ણ લાભ પાલનપુર નિવાસી મધુબેન શૈલેશભાઈ મહેતા પરિવારે લીધો હતો.

(3:32 pm IST)