Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

સુપાર્શ્વનાથ દાદાની રથયાત્રામાં જોડાવા પંચવટી જૈન સંઘની અપીલ

માંડવી ચોક શ્વે.મૂ.જૈન તપ.સંઘ દ્વારા રવિવારે યોજાનારી

રાજકોટ તા. ૯ : જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વ પુરૂ થયા બાદ ભવ્યાતિભવ્ય રથયાત્રાનો પ્રભુજીનો વરઘોડો ૧૯૬ વર્ષ જુનું તિર્થ શ્રી માંડવી ચોક શ્વે. મૂ.જૈન સંઘ સમસ્ત શ્વે. મૂર્તિ. જૈને સંધો દ્વારા રથયાત્રા તા.૧૧ના શુભદિવસે સવારે નીકળશે રાજકોટના સમસ્ત શ્વે. મૂતિ. જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય સંઘ જમણ રથયાત્રા પૂર્ણ થયા બાદ રાખેલ છે.

શ્રી પંચવટી જૈન શ્વે. મૂર્તિ જૈન સંઘના તમામ શ્રાવક-શ્રાવીકાઓને આ ભવ્યતિભવ્ય રથયાત્રા તથા સ્વામી વાત્સલ્યમાં ઉમટી પડવા ભાવભર્યુ આમંત્રણ છે.

(3:29 pm IST)