Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ચોટીલાના ગુંદા ગામમાં નયનાનો કલેશને કારણે ઝેરી પી આપઘાત

રાજકોટમાં દમ તોડયોઃ બે પુત્ર મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૯: ચોટીલાના ગુંદા ગામમાં રહેતી નયનાબેન રાજુ અજાડીયા (ઉ.૨૯) તા. ૭ના રોજ ઝેરી દવા પી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

નયનાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ ખેત મજૂરી કરે છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાનું જણાવાયું હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:06 am IST)