Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અરિહંત અનુકંપા ગ્રુપ દ્વારા જીવોને અભયદાન

અરિહંત અનુકંપા દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી જીવદયાનું મુંગા, અબોલ જીવોને કતલખાનેથી છોડાવી તેમના આર્શીવાદ સાથે કામ કરતું આપણું આ ગ્રુપઅરિહંત અનુકંપા ગ્રુપ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે કલતલાખેશ્રી અબોલ જીવોને મુકિત અપાવી અને પાંજરાપોળ ખાતે દર વર્ષે સુપ્રત કરીએ છીએ તે મુજબ આ વર્ષે પણ સંવત્સરીના મોટા દિવસે ૧૦૮ જીવોને કતલખાનેથી છોડાવી મહાજન પાંજરાપોળ ખાતે સુપ્રત કરશુ અને તેમનો નિભાવ ખર્ચ પણ જમા કરાવશું તો આવા પવિત્ર અને મોટા દિવસે જે કોઇ પણ શ્રાવક, શ્રાવિકાઓએ આવા ધાર્મિક કાર્યોમાં હાજરી આપવી હોય તે દરેક ૧૨ને રવિવારે સવારે ૭:૩૦ પારસધામ દેરાસરે પહુંચી જવા અરિહંત અનુકંપા ગ્રુપના આગેવાનો કેતનભાઇ પારેખ, વિરલભાઇ મહેતા, ડિમ્પલભાઇ મહેતા, નરેશભાઇ પારેખ, નિલેશભાઇ ખજુરીયા, રાજુભાઇ પુનતાર, નીતીનભાઇ મહેતા, આશિષભાઇ ગોયાણી, જેકીલભાઇ ધોળીયા, શાન્તિભાઇ સંઘાની વિનંતી કરે છે.

(4:47 pm IST)