Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જંગલેશ્વરમાં માતાએ પેટ ભરાવીને સુવડાવ્યા બાદ બે માસની બાળા રીઝા બેભાનઃ મોત

રાજકોટ તા. ૯: જંગલેશ્વર શેરી નં. ૨૯માં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના અને કારખાનામાં કામ કરતાં પરવેઝ અબરાઝભાઇ પઠાણની દિકરી રીઝા (ઉ.૨ મહિના)ને રાતે માતાએ પેટ ભરાવની સુવડાવ્યા બાદ સવારે ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃતક બાળા એક બહેન અને એક ભાઇથી નાની હતી. બનાવથી પઠાણ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. થોડા દિવસ પહેલા પણ આ રીતે બેભાન હાલતમાં બે માસુમ બાળકોના મોત નિપજ્યા હતાં.

(4:00 pm IST)