Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સોમવારે અષાઢીબીજ તથા કચ્છી નુતન વર્ષ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ

ઓશો ઈનર સર્કલ દ્વારા આયોજીત કોરોના વેકસીન લીધેલ હશે તેઓને જ સહભાગી થવાની મંજુરી

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ અમાર ગોત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ ભજન કિર્તન, ગીત સંગીત વિવિધ સંમ્પ્રદાયોનાં ઉત્સવો વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમિત છેલ્લા ૩૬ વર્ષથી અવારનવાર ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.૧૨ને સોમવારે રોજ અષાઢી બીજ તથા કચ્છી નુતન વર્ષ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૪૨ થી ૭:૪૫ દરમ્યાન ધ્યાનોત્સવનાં કાર્યક્રમનું આયોજન ઓશો ઈનર સર્કલ દ્વારા સરકારી ગાઈડ લાઈન અનુસાર કરવામાં આવેલ છે.

સ્થળ- ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં, ૪  વૈદ્યવાડી, 'ડીમાર્ટ' પાછળની શેરી રાજકોટ.

વિશેષ માહિતી- સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:17 am IST)