Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટમાં સેનેટરીના વેપારીઓ પણ સવારે ૮ થી સાંજે ૬ સુધી જ દુકાનો ખુલ્લી રાખશે

રાજકોટ સેનેટરી મરચન્ટ એસો.નો નિર્ણય

રાજકોટઃ હાલમાં રાજકોટમાં કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી સંક્રમણ ઓછુ થાય તે માટે રાજકોટ સેનેટરી મરચન્ટસ એસોસીએશન દ્વારા નકકી થયા મુજબ સર્વ સંમતિથી તારીખ તા.૯ થી તા.૩૧ જુલાઇ સુધી દરેક દુકાનદારો અને ગોડાઉન વાળાએ દુકાનનો સમય ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી જ ખુલી રાખવામાં આવશે.

સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવુ ફરજીયાત સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા સેનેટાઇઝરનો સતત ઉપયોગ કરવો. દુકાનમાં કામ સિવાય કોઇને ન બેસવા આગ્રહ કરી વિનંતી કરવી જેથી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે. તેમ રાજકોટ સેનેટરી મરચન્ટ એસોશીએશનની યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)