Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

પ્રીયદર્શની સોસાયટીના હિરાઘસુ રાજેશભાઇએ ખડ ધોરાજી પાસે વાડીમાં ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ તા ૯ :  મવડી રોડ પર પ્રીયદર્શની સોસાયટીમાં રહેતા કુંભાર યુવાને કાલાવડના ખડધોરાજી પાસ ેપોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ મવડી રોડ પર પ્રીયદર્શની સોસાયટી શેરી નં. ૫ માં રહેતા અને હિરા ઘસવાનું કામ કરતા રાજેશભાઇ ચનાભાઇ ગોહેલ (ઉ.વ.૩૬) ગઇકાલે કારખાનામાં બુધવારની રજા હોઇ, તેથી તે તેના ભાઇ દિલીપભાઇ સાથે ખડધોરાજી ગામ પાસે પોતાની વાડીએ ગયા હતા,  ત્યારબાદ  દીલીપભાઇ, મોટાભાઇ રાજેશભાઇને જમવા માટે ઉઠાડવા જતા તેના  મોઢામાંથી વાસ આવતા રાજેશભાઇએ દવા પી લીધી હોવાની ખબર પડતા તાકીદે સારવાર માટે રાજકોટ ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં  તેનું  સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રાજેશભાઇ ત્રણ ભાઇમાં મોટા હતા, તે મવડીમાંં હિરા ઘસવાનું કામ કરતા હતા અને તેમના પત્ની પણ ઘરે ઇમીટેશનનું કામ  કરે છે. રાજેશભાઇએ   કયા કારણોસર આ પગલુે ભર્યુ તે અંગેનું કારણ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ જાડેજા અને રાઇટર રિતેષભાઇ પટેલે તપાસ હાથ ધરી છે.

(2:46 pm IST)