Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મકાનમાં પાણી છાંટતી વખતે કરંટ લાગતા હરેશભાઇ વઢીયારનું મોત

રાજકોટ,તા. ૯ : માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગરમાં મકાનમાં પાણી છાંટતી વખતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગર-૨માં રહેતા હરેશભાઇ દેવાભાઇ વઢીયારા (ઉવ.૪૦) ના મકાનનું કામ ચાલુ હોય, તેથી આજે પોતાના ઘરમાં પાણી છાંટતા હતા. ત્‍યારે અચાનક ઇલેકટ્રીક મોટરનો વાયર પાણીમાં પડતા યુવાનને કરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક હરેશભાઇ શાકભાજીનો ધંધો કરતા હતા. તે બે ભાઇમાં નાના હતા. ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ.ડી.પરમારે તપાસ હાથ ધરી છે.

 

(4:56 pm IST)