Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

બીજા માળેથી ઠેંકડો મારી દેતાં ઘવાયેલી ક્રિષ્‍ના અગ્રાવતનું મોત

સંત કબીર રોડ પર ગોકુલનગર ક્‍વાર્ટરમાં બનાવઃ માનસિક બિમારી કારણભૂત

રાજકોટ તા. ૯: સંત કબીર રોડ પર ગોકુલનગર ક્‍વાર્ટરમાં રહેતી ક્રિષ્‍ના સંજયભાઇ અગ્રાવત (ઉ.વ.૨૦) નામની યુવતિએ ત્રણ દિવસ પહેલા બીજા માળેથી ઠેકડો મારી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતી. તેનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ક્રિષ્‍ના એક ભાઇ અને બે બહેનમાં મોટી હતી. તેના પિતા સંજયભાઇ બેડી યાર્ડમાં મજૂરી કરે છે. તેમણે કહ્યું હતું કે દિકરીને માનસિક બિમારી હોઇ તેની લાંબા સમયથી દવા ચાલુ હતી. તે ગમે ત્‍યારે ઘરના લોકોને પુરીને બહાર ભાગી જતી હતી અને ગમે તેને મારકુટ કરી લેતી હતી. આ કારણે અમે સતત તેનું ધ્‍યાન રાખતાં હતાં. પરંતુ ત્રણ દિવસ પહેલા તેણીએ બીજા માળેથી ઠેકડો મારી દીધો હતો અને તેના કારણે ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:54 pm IST)