Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગોંડલ રોડ કોરાટ ચોક પાસે ધૂળેટીની સવારે એસટી બસને અકસ્‍માતઃ ૭ને ઇજા

રાજકોટ તા. ૯: ધૂળેટી પર્વની વહેલી સવારે ચારેક વાગ્‍યે ગોંડલ રોડ કોરાટ ચોકમાં એસટી બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા સાત જેટલા મુસાફરોને ઇજાઓ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ બુધવારે વહેલી સવારે ચારેક વાગ્‍યે ગોંડલ રોડ કોરાટ ચોકમાં એસટી બસ સાથે બીજી એસટી બસ અથડાતાં મુસાફરો ગીર સોમનાથના દાનાભાઇ સાંગાભાઇ મારૂ (ઉ.૪૭), માનસીંગભાઇ ચોૈહાણ (ઉ.૩૫), રાજેશભાઇ નાથાભાઇ (ઉ.૬૦), અમદાવાદના રૂપલ બકુલભાઇ નાગર (ઉ.૩૧), આરતી આશિષભાઇ શાહુ (ઉ.૩૩), રાજેશભાઇ સિરંગલાલ પંડયા (ઉ.૬૩) અને શ્રધ્‍ધા ધ્રુવભાઇ પંચાસરા (ઉ.૨૯)ને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ શાપર પોલીસને જાણ કરી હતી.

(4:51 pm IST)