Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

યુપીથી પ્રેમી સાથે ભાગીને રાજકોટ આવીને રહેતી પરિણીતાનો આપઘાત

સિતા ચારેક મહિના પહેલા મિત્ર વિરેન્‍દ્ર સાથે ભાગી આવી હતીઃ સંત કબીર રોડ સંજયનગરમાં બંને રહેતાં હતાં: કારણ અકળ

રાજકોટ તા. ૮: શહેરના સંત કબીર રોડ પર ધરારનગર શાક માર્કેટ પાસે સંજયનગર-૧માં જગદીશભાઇના મકાનમાં ભાડેથી પોતાના પ્રેમી સાથે રહેતી યુપીની પરિણીતાએ ધૂળેટીની સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના એએસઆઇ ઘેલુભાઇ શિયાર સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર સિતાબેન લાલચંદભાઇ (ઉ.વ.૨૨) મુળ યુપીના અલ્લાહાબાદના આમીલીયાની વતની હતી અને તે પરિણીત હતી. તેને ચારેક મહિના પહેલા પ્રેમી યુપીનો વિરેન્‍દ્ર નંદુ (ઉ.વ.૨૩) ભગાડી લાવ્‍યો હતો અને બંને રાજકોટમાં ભાડે મકાન રાખી લગ્ન વગર સાથે રહેતાં હતાં. કોઇપણ કારણોસર સિતાબેને આ પગલુ ભરી લીધુ હતું. પ્રેમીની પોલીસે પુછતાછ કરતાં તેણે કારણ પોતે જાણતો ન હોવાનું કહેતાં પોલીસે તપાસ યથાવત રાખી છે અને તેણીના માવતર, પતિ સહિતને યુપી જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. (૧૪.૫)

 

(4:51 pm IST)