Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

અમરેલીમાં વાહન અકસ્‍માતમાં ઘવાયેલા વૃધ્‍ધનું રાજકોટમાં મોત

સાત દિવસ પહેલા બાઇક ભટકાતા ધીરૂભાઇ રાંકને ઇજા થઇ'તી

રાજકોટ,તા. ૯: અમરેલીના બગસરા અને કુકાવાવ રોડ પર સાત દિવસ પહેલા વાહન અકસ્‍માતમાં ઘવાયેલા વૃધ્‍ધનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતા ધીરૂભાઇ વલ્લભભાઇ રાંક (ઉવ.૬૮) ગત તા. ૩ના રોજ પોતાનું બાઇક લઇને જતા હતા ત્‍યારે બગસરા અને કુકાવાવ રોડ પર અકસ્‍માત સર્જાયો હતો. તેના વૃધ્‍ધને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન ગઇ કાલે મોત નિપજ્‍યુ હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. દીગ્‍યપાલસિંહ સહિતે કાર્યવાહી કરી હતી.

(4:29 pm IST)