Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મનપા દ્વારા ૧૦ મિલ્‍કતો સીલઃ ૪૪ને જપ્‍તી નોટીસ

રાજકોટઃ મનપા દ્વારા ૩૪૦ કરોડના લક્ષ્યાંકને પુરો કરવા આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૧૦ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૧ નળ કનેકશન કપાત  ૪૪-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂા.પ૪.૮પ લાખની વસુલાત કરાયેલ હતી.  વોર્ડ નં.૧૩માં આસોપાલવ પાર્ક વિસ્‍તારમાં ર-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ. મવડી મેઇન રોડ પર આવેલ ર-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ. અમરનગરમાં આવેલા ૩ યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ. આ કામગીરી આસી.મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:22 pm IST)