Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ફેબ્રુઆરીમાં ૬૯ વિદેશી સહિત કુલ ૩૭ર૬ મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધીનું જીવન-કવન જાણ્‍યું

રાજકોટ : ફેબ્રુઆરી માસમાં ઇંગ્‍લેડ અને યુરોપિયન કન્‍ટ્રીનાં સ્‍કુલનાં બાળકો સહિત કુલ ૬૯ વિદેશી મુલાકાતીએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લઇ મહાત્‍મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતોની માહિતી મેળવેલ છે. ફેબ્રુઆરી ૩૭ર૬ મુલાકાતીઓએ મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે. જેમાં વિવિધ ૧૭ સ્‍કુલના ૯૮૧ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓકટો. ર૦૧૮ માં મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્‍યુ ત્‍યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ર,૪૯,ર૭૦ મુલાકાતીઓએ મ્‍યુઝીયમની મુલાકાત લીધેલ છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ યાદીમાં જણાવ્‍યું હતું.

(4:02 pm IST)