Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શ્રી વર્ધમાન સ્‍થા. જૈન સંઘના આંગણે

રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.નું કાલે મંગલ આગમન

રાજકોટ તા. ૯ :.. પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ છેલ્લા ઘણાં દિવસથી ઘાટકોપર, ડોંબીવલી, મુલુંડ, વિલેપાર્લે આદિ મુંબઇના અનેક ક્ષેત્રોના શ્રી સંઘમાં મંગલ પદાપર્ણ કરીને ભવ્‍ય જીવોને બોધિત કરી રહ્યાં છે ત્‍યારે શ્રી વર્ધમાન સ્‍થાનકવાસી જૈન સંઘ તાડદેવના પરમ સદ્‌્‌ભાગ્‍યે કાલે શુક્રવારે પરમ ગુરૂદેવ મંગલ આગમન કરવાના હોવાથી શ્રી સંઘમાં અનેરા આનંદ અને ઉત્‍સાહ છવાઇ રહ્યા છે.

શ્રી સંઘની ભાવભીની વિનંતીનો સ્‍વીકાર કરીને તાડદેવના ભાવિકોને ધન્‍ય કરવા પધારી રહેલાં પરમ ગુરૂદેવના સાંનિધ્‍યે મહાપ્રભાવક શ્રી ઉવસ્‍સગ્‍ગહરં સ્‍તોત્ર દિવ્‍ય જપ સાધનાનું તેમજ લિવિંગ લાઇફ- ધ મિનિ મલિસ્‍ટિક વે, બોધ પ્રવચનનું પાવન આયોજન કાલે સવારના ૮ થી ૯ કલાક દરમિયાન ગ્રાંટ રોડ સ્‍થિત અવસર બેંકવેટ, કેનેડી બ્રીજ, જયોતિ સ્‍ટુડીયો કમ્‍પાઉન્‍ડ, બેન કમ્‍પાઉન્‍ડ ખાતે શ્રી સંઘ દ્વારા કરવામાં આવ્‍યું છે.

(3:51 pm IST)