Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શનિવારે કારડીયા રાજપૂત જ્ઞાતિના સમુહલગ્ન

નાનામવા સર્કલ પાસેના મેદાનમાં આયોજન : પ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : સાંજના ફેરા

રાજકોટ તા. ૯ : કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૧૧ ના શનિવારે ૧૫ માં સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા. ૧૧ ના શનિવારે સાંજે ૪ થી રાત્રીના ૧૦ સુધી મ્‍યુ. ટી.પી. પ્‍લોટ, નાનામવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આયોજીત આ અવસરમાં પ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. સાથે અંદાજીત પ હજારથી વધુ સંખ્‍યામાં જ્ઞાતિજનો સમુહપ્રસાદ માણશે.

સમુહલગ્નની સાથે સેવાકાર્યરૂપે બ્‍લડ ડોનેશન કેમ્‍પ પણ રાખેલ છે. બપોરે ૩ કલાકે જાન આગમન અને સાંજે ૬ વાગ્‍યે હસ્‍તમેળાપનું મુર્હુત છે. રાત્રે ૯ વાગ્‍યે જાનને વિદાય અપાશે.

આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ પ્રધાન જશાભાઇ બારડ, પૂર્વ પ્રધાન લક્ષ્મણભાઇ પરમાર, કોડીનારના શિવાભાઇ સોલંકી, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કારડયા રાજપૂત સમાજ બેડીપરાના પ્રમુખ રમેશભાઇ ચૌહાણ, કારડીયા રાજપૂત સમાજ રામનાથપરાના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઇ રાજપૂત, બાંટવા-સતાપર કારડીયા ાજપૂત સમાજના પ્રમુખ ગોવિંદસિંહ ડોડીયા, કારડીયા રાજપૂત સમાજ ગીર સોમનાથના પ્રમુખ નારણસિંહ ડોદડીયા, મ્‍યુ. કોર્પો. આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર  શ્રીમતી સોનલબેન સેલારા, કોર્પોરેટર શ્રીમતી રસિલાબેન, પૂર્વ કોર્પોરેટર ગંભીરસિંહ પરમાર, પૂર્વ કોર્પોરેટર અજયસિંહ પરમાર, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી જયશ્રીબેન ડોડીયા, રાજપૂત કરણીસેનાના ઉપાધ્‍યક્ષ ચંદુભા પરમાર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહી નવવિવાહિતોને આશીર્વચનો આપશે.

સમગ્ર સમુહલગ્નોત્‍સવને સફળ બનાવવા કારડીયા રાજપૂત સમાજના હોદેદારો પ્રમુખ અરૂણભાઇ સોલંકી, ઉપપ્રમુખ નવલસિંહ ચુડાસમા, મંત્રી ગુલાબસિંહ સોલંકી, ખજાનચી હરિસિંહ પરમાર, સંગઠનમંત્રી રમેશભાઇ મકવાણા, જીતુભાઇ સેલારા, સુરેશભાઇ ભટ્ટી, કારોબારી સભ્‍યો સુરેશભાઇ પરમાર, ભુપતસિંહ ઝાલા, ભયલુભાઇ ચૌહાણ, પ્રતાપસિંહ ગોહીલ, દીલીપસિંહ રાઠોડ, રાકેશભાઇ દેવડા, રણજીતસિંહ ચૌહાણ, પ્રવિણભાઇ બારૈયા, દીપસિંહ ભટ્ટી, વિમલભાઇ પરમાર, દિલીપસિંહ ગોહેલ, જયદીપસિંહ વાઘેલા, ચિરાગભાઇ ભટ્ટી, વજુભાઇ પરમાર, દેવીસિંહ ભટ્ટી, વિક્રમ ચૌહાણ, હિતેષભાઇ હેરમા, પ્રદ્યુમનસિંહ ભટ્ટી, ભરતસિંહ સોલંકી, અશોકભાઇ ચૌહાણ, નવલસિંહ મકવાણા, જયરાજસિંહ ચૌહાણ, કિશોરસિંહ ડોડીયા, ગીરીશભાઇ રાઠોડ, રમેશભાઇ ઝાલા, મનોજભાઇ પરમાર, નિલદીપભાઇ ભટ્ટી, જયમલસિંહ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે સમુહલગ્ન આયોજનની વિગતો વર્ણવતા સર્વશ્રી અરૂણભાઇ સોલંકી (મો.૯૫૧૦૦ ૩૧૬૧૧), ગુલાબસિંહ સોલંકી (મો.૯૭૨૭૭ ૫૧૯૯૯), હરીસિંહ પરમાર, રમેશભાઇ મકવાણા, જીતુભાઇ સેલારા, સુરેશભાઇ ભટ્ટી, ભુપતસિંહ ઝાલા, પ્રતાપસિંહ ગોહીલ વગેરે નજરે પડે છે.

(3:48 pm IST)