Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

છંદોત્‍સવમાં માટીનાં છંદો રેલાયા

રાજકોટઃ શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્‍ડેશને લોકસાહિત્‍યના અપ્રાપ્‍ય છંદોનું ગાન કરતો છંદોત્‍સવ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાહિત્‍યકાર સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અનુભા ગઢવીએ સતત ત્રણ કલાક સુધી આપણી ભાષાના નાદવૈભવને રેલાવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં સાંઈરામે આપણા ભૂલાયેલા ત્રિકુટબંધ, સવૈયા, કવિત અને સપાખરા રજુ કરી તેની રસપ્રદ માહિતી આપી હતી. રાજભા તથા અનુભાએ પોતાની સ્‍વરચિત રચનાઓથી શ્રોતાઓના દિલ ડોલાવ્‍યા હતા. આ ફાઉન્‍ડેશને કલાકાર બનવા ઈચ્‍છતા નવયુવાનોને દિશા મળે એવો પ્રયત્‍ન પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણનું પ્રસાદજી દ્વારા સન્‍માન થયું. પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, મ્‍યુનિ. કમિશ્નર શ્રી અમિત અરોરાએ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો હતો. ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી અમિત દવેએ સાહિત્‍ય પ્રેમીઓનો આભાર વ્‍યકત કરેલ હતો

(3:36 pm IST)