Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ સી.એ. બ્રાન્ચના હોદ્દેદારોની વરણીઃ સંજય લાખાણી- નવા ચેરમેન

રાજકોટઃ તાજેતરમાં રાજકોટ સી.એ. બ્રાન્ચના વર્ષ ૨૦૨૩-૨૪ માટેના હોદ્દેદારોની વરણી થઈ હતી. સી.એ. જીજ્ઞેશ રાઠોડ વર્ષ ૨૨-૨૩ના વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા ચેરમેન તરીકે સી.એ. સંજય લાખાણીની વરણી થઈ હતી. સંજય લાખાણીએ ચેરમેન તરીકેનું પદ ગ્રહણ કરતાં જણાવ્યું કે આ વર્ષમાં સીએ તથા સીએ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય તેવા સેમિનાર કોન્ફ્રરેંસ ઉપરાંત ઘણી બધી પ્રવૃતિઓ કરવામાં આવનાર છે. જે સી.એ. મેમ્બેર્સ અને સી.એ. વિદ્યાર્થીઓ માટે લાભદાયી નીવડશે. જેમાં ૧૪ માર્ચના રોજ, ઓપન હાઉસ મિટિંગ, ૧૮ અને ૧૯ માર્ચના રોજ બે દિવસીય કેપિટલ માર્કે પર નેશનલ કોન્ફરન્સ અને ૨૫ અને ૨૬ માર્ચના રોજ બે દિવસીય બેંક બ્રાંચ ઓડીટ કોન્ફરન્સનું આયોજન પણ થઈ ગયેલ છે. આ ઉપરાંત નવા હોદ્દેદારોમાં સી.એ. સંજય લાખાણી- વાઈસ ચેરમેન સી.એ. મિતુલ મેહતા- સેક્રેટરી, સી.એ. રાજ મારવાણીયા- ટ્રેઝરર, સી.એ.જીજ્ઞેશ રાઠોડ- ઈમિ. પાસ્ટ ચેરમેન તથા સી.એ. ભાવિન દોશી અને સી.એ. તેજસ દોશી કમિટી મેમ્બર તરીકે નિયુકત થયેલ છે.

(3:32 pm IST)