Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ત્રંબા મોહનધામ આશ્રમ દ્વારા આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૯ :  ત્રંબા મોહનધામ આશ્રમ ખાતે આજે તા. ૯ ને ગુરુવાર ના રોજ સંત શ્રી શામળા બાપા ના ૧૧૧ મા જન્‍મોત્‍સવ નિમિતે સંત શ્રી મોહનદાસ બાપા ના સાનિધ્‍ય મા  શ્રીનાથજી ની ઝાંખી તેમજ મહાપ્રસાદ નું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.      

આશ્રમ ના સેવક જગદીશભાઈ રૂઘાણી દ્રારા જણાવવા મા આવ્‍યુ છે  કે સાંજે ૭ કલાકે મહાપ્રસાદ નુ  તેમજ ત્‍યારબાદ રાત્રે ૯ વાગ્‍યા થી શ્રીનાથજીની ઝાંખીનુ આયોજન કરવામા આવ્‍યુ છે  આ પ્રસંગે સૌ ભક્‍તજનોને સાંજે મહાપ્રસાદ તેમજ રાત્રે શ્રીનાથજીની ઝાંખી નો હરી ભક્‍તોને લાભ લેવા અનુરોધ છે.ગુરુદેવ મોહનદાસબાપા પણ સવારથી આશ્રમ ખાતે દર્શનનો લાભ આપશે અને આ ધાર્મિક કાર્યક્રમમા ઉપસ્‍થિત રહેશે.

(3:32 pm IST)