Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ધૂળેટીની સાંજે ૧૬ વર્ષની પૂજાએ જીવ દીધો

માતા-પિતા-ભાઇ દાદીને ત્‍યાં બેસવા ગયા બાદ પગલુ ભર્યુઃ કારણ અકળઃ ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ સિતારામ સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૯: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ સિતારામ સોસાયટીમાં રહેતી સોળ વર્ષની સગીરાએ ધૂળેટીની સાંજે ઘરમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

સિતારામ સોસાયટીમાં રહેતાં જેન્‍તીભાઇ બચુભાઇ કુવરીયા સાંજે પોતાના પત્‍નિ અને પુત્રને લઇને ચોથી શેરીમાં રહેતાં પોતાના બાના ઘરે બેસવા ગયા હતાં. ત્‍યારે દિકરી પૂજા (ઉ.વ.૧૬) ઘરમાં બેઠી બેઠી બંગડી ભાંગવાનું કામ કરતી હતી. એ પછી પૂજાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પડોશીઓએ તેને નીચે ઉતારી હતી અને માતા-પિતાને બોલાવ્‍યા હતાં. તેણીને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે થોરાળા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. દિવ્‍યરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનો કારણ જાણતા ન હોઇ પીએઅસાઇ એન. બી. ડાંગરે વધુ તપાસ યથાવત રાખી છે. પૂજા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તેના પિતા તરબૂચની ફેરી કરી ગુજરાન ચલાવે છે.

(12:07 pm IST)