Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

કોઠારિયા ગામમાં બીમારીના લીધે બે યુવાનના મોત

રાજકોટ,તા. ૯ : કોઠારિયા ગામમાં રહેતા બે યુવાનના બીમારીના કારણે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા ગામમાં ઓમકાર સ્‍કુલ પાસે ઝુપડામાં રહેતા ડંબુડા ક્રિષ્‍નચંદ માંઝી (ઉવ.૪૮)ને ફેંફસાની બીમારીના લીધે તાવ આવતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. મૃતક યુવાન કડીયા કામની મજૂરી કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે.

જ્‍યારે બીજા બનાવમાં કોઠારિયા ગામમાં રહેતા વિશાલભાઇ રૂપસિંગભાઇ સોલંકી (ઉવ.૪૨) ગઇ કાલે પોતાના ઘરે હતા. ત્‍યારે તેને લીવર અને કીડનીની બીમારીના કારણે તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક વિશાલભાઇ છુટક મજૂરી કામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. હેમતભાઇ ધરજીયાએ કાર્યવાહી કરી હતી .

(12:01 pm IST)