Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટના રીબડા નજીક રેલવે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે ૧૧ ગૌ માતાઓ આવી જતા હાહાકાર: છ ગૌ વંશના ઘટના સ્થળે મૃત્યુ: કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનની ટીમ મદદે દોડી ગઈ

આજ રોજ રાજકોટ જિલ્લાના રીબડા ગામના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે એક સાથે ૧૧ ગૌમાતા ઓ આવી જતા હાહાકાર મચી ગયો. ૬ ગૌ વંશના સ્થળ પર જ મૃત્યુ થયા. 
 
ઘટનાની વિગતો મળતા જ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોની ટીમ રેસ્ક્યુ અને બચાવ માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી ગઈ. બચી ગયેલા ૫ ગૌવંશને તાત્કાલીક સ્થળ પર જ સઘન સારવાર આપી બચાવી લેવામાં આવ્યા અને વધુ સારવાર માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના એનિમલ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા. 
 
હાલ આ પાંચેય ગૌવંશની તબિયત સુધારા પર છે અને બચી ગયેલ છે. રેલ્વે પ્લેટફોર્મ પર જ ચાર કલાક સુધી બચાવ કાર્ય અને સારવાર કાર્ય ચાલ્યુ હતું.*

 

(4:53 pm IST)