Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગુજરાત ટ્રેડર્સમાં આગને લીધે ૫૦૦ ટન નહિ પરંતુ ૮૫ ટન છાપા-પસ્તી-પુંઠાનો માલ બળી ગયો'તો

રાજકોટ તા. ૯: શહેરના ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશન નજીક આવેલા ગુજરાત ટ્રેડર્સ નામના યામીનભાઇ મહમદભાઇ ગાંજાના પસ્તી-પુંઠાના ડેલામાં રવિવારે મોડી રાતે ભયાનક આગ ભભૂકતા આખો ડેલો ખાક થઇ ગયો હતો. તેમજ કિમતી હાઇડ્રોલિક મશીનો તેમજ સમગ્ર શેડ પણ બળી જતાં મોટુ નુકસાન થયું હતું.  અંદાજે ૫૦૦ વારની જગ્યામાં આવેલા આ ડેલામાં આગથી ૫૦૦ ટન છાપાની પસ્તી પુંઠાનો જથ્થો બળી ગયાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. તેની સામે ખુલાસો કરતાં ગુજરાત ટ્રેડર્સના યામીનભાઇ ગાંજાએ જણાવ્યું છે કે આગમાં ૮૫૦૦૦ કિ.ગ્રા. એટલે કે ૮૫ ટન માલ બળી ગયો છે.

(3:02 pm IST)