Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રાત્રે ૯ વાગ્યે હોળી પ્રગટાવાશે : અન્ય કાર્યક્રમો રદ્દ

રાજકોટ : મોમાઈ મિત્ર મંડળ દ્વારા ૫/૪ (સૌરાષ્ટ્ર કેન્દ્ર, હંસા પ્રોવિઝન ચોક) ખાતે ૧૫ હજાર છાણાની હોળી કરવામાં આવેલ છે. રાત્રીના ૯ વાગ્યે હોળી પ્રાગટ્ય થશે. કોરોના વાયરસના કારણે આ વખતે અન્ય કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયુ છે. આયોજનમાં વિજયભાઈ ચૌહાણ, સુનિલભાઈ બાબરીયા, શશીભાઈ બાટવીયા, હેમાંશુ પારેખ, અમિત પોપટ, અમિત લાવડીયા ચંદ્રેશ પટેલ, ઉમંગ ફળદુ, વલ્લભભાઈ, અમિતભાઈ કાથરોટીયા, મનીષ કાથરોટીયા, અશોકભાઈ સોલંકી, કરણ પરમાર, અજય પરમાર, હિમાંશુ સોલંકી, મુકેશભાઈ પ્રશાંત દવે, લાલાભાઈ દવે, પ્રદિપભાઈ દવે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:52 pm IST)