Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગોંડલ સંપ્રદાયના નિડર વકતા પૂ.ગુરૂદેવ જગદીશમુનિ મ.સા.કૃપાપાત્ર સુશિષ્ય

ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા.નું આગામી ચાતુર્માસ ગોંડલ ગાદીના ઉપાશ્રયે જાહેર

પૂ.પારસમુનિ મ.સા.સાધના- આરાધના સાથે સંઘમાં અપૂર્વ લાભ આપશે

રાજકોટ,તા.૯: ગોંડલ સંપ્રદાયના નિડર વકતા પૂ.ગુરૂદેવ જગદીશમુનિ મ.સા.ના કૃપા પાત્ર સુશિષ્ય પૂ.પારસમુનિ મ.સા.નું આગામી ચાતુર્માસ ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલની પાવન ભૂમિ ઉપર થશે.

વર્ષાકાલ દરમ્યાન પૂ.પારસમુનિ મ.સા.સાધના - આરાધના સાથે ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘમાં અપૂર્વ શાસન પ્રભાવના કરશે.

અત્રે નોંધનીય છે કે પૂ.પારસમુનિ મ.સા.છેલ્લા દ્યણા વર્ષોથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના ક્ષેત્રોમાં વિચરણ કરી સ્વ - પરનું કલ્યાણ કરી રહ્યાં છે.જૈન - જૈનેત્તર સહિત આદિવાસી લોકોને પણ તેઓએ ભગવાન મહાવીરનો સંદેશો સરળ શૈલીમાં સમજાવી સૌને ભાવિત કરી શાસન અને સંપ્રદાયનું નામ ગૌરાવન્તિ કરી રહેલ છે.

પૂ.પારસમુનિ મ.સા.ટૂંક સમયમાં મુંબઈથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં પધારવાના શુભ ભાવ રાખે છે તેમ ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી એ જણાવેલ છે.

(3:27 pm IST)