Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભાજપ મહિલા મોરચાએ મહિલા દિને માણ્યુ નાટક

 રાજકોટ : છેલ્લી કેટલીક સહસ્ત્રાબ્દિથી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં ઘણા ફેરફારો આવ્યા છે. તમામ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન નોંધપાત્ર બન્યું ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના અટલ બિહારી બાજપાઇ ઓડોટોરીયમ ખાત 'લગ્ન કર્યાને લોચા પડયા'નાટક યોજવામાં આવ્યું હતું. લગ્નજીવન, દામ્પત્ય જીવન, પારિવારિક જીવનમાં આવતી અનેકવિધ સમસ્યાઓ અને સમસ્યાઓના ઉકેલ જેવા વિષયો પર આધારીત આ હળવી શૈલીના સંદેશાત્મક નાટક દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવેક શાહે પ્રોડયુસર કરેલ. આ નાટકમાં નામાંકિત કલાકારો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ નાટકમાં ભાજપ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહિલા ભાજપ અગ્રણી બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રી નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, વંદનાબેન ભારદ્વાજ અને દરેક વોર્ડમાંથી શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો, મહિલા કોર્પોરેટરો અને મહિલા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (૮.૧૭)

(4:09 pm IST)