Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રવિવારે નવપ્રતિભા સંગીત સમારોહ

સુરસંગીતાલય રાજકોટ-પોરબંદર અને અધરવેણુ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા

રાજકોટઃ સુરસંગીતાલય, રાજકોટ-પોરબંદર અને અધરવેણ, એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા સંગીત વિદ્યાલયના પ્રતિભાવંત વિદ્યાર્થીઓના સંગીત કાર્યક્રમ નવપ્રતિભા સંગીત સમારોહનું આયોજન તા.૧૨ રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે શ્રીઅરવિંદભાઇ મણીયાર હોલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે

આ સુરીલા કાર્યક્રમમાં સુર સંગીતાલય, રાજકોટ પોરબંદરના વિદ્યાર્થીઆ સર્વશ્રી કમલ રાજપરા, યશ્વી પારેખ, ધરવ ઝંઝુવાડીયા, કલ્‍પેશ માંડલીયા, જાનવી પાટડીયા, સંજય રેડી, વિશાલ આડેસરા તેમજ  સારેગમપ લીટલ ચેમ્‍પ ફેઇમ અમન સાગઠીયા, પોરબંદર પોતાના  સુરીલા કંઠ દ્વારા ધ્રુપદ ગાયન, શાષાીય ગાયન, હવેલી સંગીત, ફિલ્‍મી ગીતો, ગઝલ અને હાર્મોનિયમ વાદન પ્રસ્‍તુત કરશે તેમજ અધરવેણુ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટના વિદ્યાર્થીઓ શ્રી અંતરા, હેમાલી, પ્રિસા, જીયા, રાજવી, પુજા, તૃપ્તિબેન, જયશ્રીબેન, પ્રાન્‍સુ, પાર્થ, ચિરાગ, વૈદ, મનોજભાઇ, નૈમિષભાઇ, કૃણાલભાઇ અને ચેતનભાઇ બાંસુરીવાદન પ્રસ્‍તુતિ કરશે. તેમની સાથે તબલાસંગીત શ્રી દર્શિત જાદવ કરશે.

આ વિદ્યાર્થીઓએ તેમના સંગીતગુરુશ્રી કિરીટભાઇ રાજપરા અને શ્રી જીજ્ઞેશભાઇ લાઠીગરાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી કરેલ છે.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને પુ.પા.ગો.૧૦૮ શ્રી રૂચિરરાયજી મહોદયશ્રી બિરાજશે તેમજ અતિથિ વિશેષ પદે જેમ્‍સ એન્‍ડ જવેલરી એસોસીએશન, રાજકોટના પ્રમુખશ્રી જગદીશભાઇ ઝીંઝુવાડીયા, આઇબીજેએ ગુજરાતના વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી મયુરભાઇ આડેસરા તેમજ પ્રશાંત ચોકસી, મેમોરીયલ ટ્રસ્‍ટ, રાજકોટના શ્રી હિતેષભાઇ ચોકસી રહેશે.

(4:34 pm IST)