Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ચેમ્બરમાં ચુંટણી નક્કીઃ વી.પી.ની વાયબ્રન્ટ પેનલ સામે ટકરાશે મહાજનોની પેનલઃ સમીર શાહ, રાજુ ઝુંઝા વગેરે પેનલમાં

રાજકોટ, તા., ૯: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની બહુ ગાજેલી ચુંટણીમાં હવે સમાધાનના કોઇ સંજોગો નહિ રહેતા આગામી ૧૬મીએ મતદાન થશે એ નક્કી છે.

ગઇકાલે ૪૬ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા બાદ વાયબ્રન્ટ પેનલના ર૪ અને ૧૧ અપક્ષો મેદાનમાં રહયા હતા.

આજે બપોરે વેપારી અગ્રણી રાજુભાઇ ઝુંઝાએ અકિલાને જણાવ્યું હતું કે અમે ૧૧ અપક્ષોએ એક પેનલ બનાવી છે અને તેનું નામ મહાજન પેનલ રાખ્યું છે. અમે કોઇ પણ સંજોગોમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના નથી અને ચુંટણી લડવાના છીએ.

તેમણે જણાવ્યું હતું કે અમારી પેનલમાં સમીર શાહ, શ્યામભાઇ શાહ, રાજુભાઇ ઝુઝા એટલે કે હું વગેરે છીએ. અમે હવે કોઇ પણ પ્રકારના સમાધાનમાં જવાના નથી અને ચુંટણી લડવાના છીએ. વી.પી.એ અમોને ફોન કર્યા હતા અને સમાધાનની દરખાસ્ત કરી હતી પરંતુ ભુતકાળના અનુભવો જોતા અમારે કોઇ લોલીપોપ નથી જોઇતી અને અમારે ચુંટણી લડવી છે.

તેમણે કહયું હતું કે સામા પક્ષે ર૪ ઉમેદવારોની પેનલ નથી થતી અને ર૩ થાય છે. જયારે અમારા પક્ષે ૧ર ઉમેદવારો  છીઅ અને અમે ચુંટણી લડવાના છીએ.

(3:36 pm IST)