Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

પુનીતનગર સર્કલ પાસે બીમારી સબબ રામભાઇ ગીડાનું મોત

રાજકોટ : ગોડલ રોડ ચોકડી પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમા રહેતા રામભાઇ ડાયાભાઇ  ગીડા (ઉ.વ.પ૮) પરમ દિવસે ૧પ૦ ફૂટ રોડ  પુનીતનગર સર્કલ પાસે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ.

મૃતક રામભાઇને સંતાનમા બે પુત્ર છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.કે.માઢક તથા રાઇટર અંશુમનભાઇએ કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)