Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

કોંગ્રેસ વિચાર વિભાગના રાજેન્દ્રભાઇ ઠકકરનો ભાજપમાં પ્રવેશ

રઘુવંશીઓ ભાજપની સાથે જ હોવાનો નિરધાર વ્યકત કરી ટેકેદારો સાથે ખેસરીયો ધારણ કર્યો

રાજકોટ : કોંગ્રેસ વિચાર વિભાગના પ્રદેશ મહામંત્રી અને રઘુવંશી અગ્રણી રાજેન્દ્રભાઇ ઠકકરે તેમના સેંકડો ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કરેલ છે. તેઓએ જણાવેલ કે દેશના વિકાસમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના વિકાસમાં શ્રી વિજયભાઇ રૂપાણીની દીર્ઘ દ્રષ્ટિીથી હું ઘણો પ્રભાવીત થયો છુ. આમેય રઘુવંશી સમાજ હમેશા ભાજપની સાથે રહ્યો છે. ત્યારે હું પણ ભાજપમાં જોડાઇને આ વિકાસ યાત્રાને વેગવાન બનાવવા સંકલ્પબધ્ધ થયો છુ. ઉલ્લ્ેખનીય છે કે રાજેન્દ્રભાઇ ઠકકર પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના મહામંત્રી સાથે પ્રદેશ કોંગ્રેસ સેવાદળના શહેર જિલ્લા તથા મોરબી શહેર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે સેવારત હતા. તેઓએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરેલ તે સમયની તસ્વીર નજરે પડે છે. બાજુમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નીતિનભાઇ ભારદ્વાજ, જીતુભાઇ કોઠારી, વિરલ અઢીયા વગેરે નજરે પડે છે.

(4:52 pm IST)