Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સોશ્યલ મિડિયા પર ઇન્દ્રનીલભાઇને ઉતારી પાડવાના ધ્રુણાસ્પદ પ્રયાસથી બ્રહ્મ સમાજની લાગણીને ઠેસઃ બ્રાહ્મણ અધિકાર સમિતિ દ્વારા કલેકટરને આવેદન

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોએ સોશ્યલ મીડિયામાં પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે ત્યારે તાજેતરમાં સોશ્યલ મિડિયામાં રાજકોટ-૬૯નાં કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજગુરુને ઉતારી પાડવા માટે નિમ્ન સ્તરની, દ્રિઅર્થી અને અપમાજનક વિગત પ્રસિધ્ધ કરી બ્રાહ્મણ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે 'રાજકોટ કા બેટા-ગુજરાત કા નેતા' નામનાં ફેસબુક પેજ પર ઇન્દ્રનિલ રાજગુરુને ઉતારી પાડવાનાં ઇરાદે પ્રસિધ્ધ કરાયેલ ટીપ્પણીઓ અંગે તપાસ કરાવી જવાબદારો સામે પગલા લઇ આ ટીપ્પણી કરનાર લેખીતમાં માફી માંગે તે  અંગે બ્રાહ્મણ અધિકાર સમિતિ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં સમિતિનાં આગેવાનો નજરે પડે છે.

(4:50 pm IST)