-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
ગુજરાતની પ્રજા ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશે : રાજુભાઈ ધ્રુવ
નરેન્દ્રભાઈના નેતૃત્વ અને વિજયભાઈના માર્ગદર્શનમાં વિજયયાત્રા આગળ વધારીએ
રાજકોટ, તા. ૮ : ગુજરાત વિધાનસભા ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન તા.૯ ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત ભાજપની સરકાર રચાઈ ગુજરાતની પ્રજા ભાજપને વિજયી બનાવશે તેવા વિશ્વાસ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મતદારોમાં ભાજપ તરફી પ્રેમ અને ઉત્સાહ વર્તાય રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપે છેલ્લા કેટલાંક વર્ષોમાં લોકોના હૃદયમાં અપ્રિતમ સ્થાન બનાવ્યું છે. આ ચૂંટણીમાં ફરી એકવાર નવસર્જનની વાત કરનારી કોંગ્રેસને ગુજરાતમાંથી સંપૂર્ણ વિસર્જન થઈ તિલાંજલિ મળશે અને ભવિષ્યમાં અન્ય રાજયોમાં પણ કોંગ્રેસની આજ દશા થવાની છે. સમગ્ર ગુજરાતની પ્રજા લોકશાહીનાં હક મતદાન મહાદાન વડે કોંગ્રેસની બાકી બચેલી બેઠકો પરથી પણ ઉખાડી ફેકવા આતુર છે.
ગુજરાતમાં સામાન્ય ચૂંટણી હોય કે પેટાચૂંટણી, લોકસભાની ચૂંટણી હોય કે નગરપાલિકાઓની ચૂંટણી છેલ્લા બેથી વધુ દસકોથી કોંગ્રેસના જુઠાણાઓ કે અન્ય કોઈ મુદ્દા અહીં ચાલ્યા નથી. જયારે જયારે ચૂંટણી યોજાઈ છે ત્યારે ત્યારે કોંગ્રેસે અનેક પ્રકારના અપપ્રચારની દ્યોસ બોલાવી છે. ભાજપ અને નરેન્દ્રભાઈ મોદીની વિરૂદ્ઘમાં ઝેર ઓકવામાં કોંગ્રેસે કાંઈ બાકી રાખ્યું નથી. ગુજરાતને બદનામ કરવાથી લઈ તમામ ષડયંત્રો કોંગ્રેસે અજમાવી લીધા છે. ત્યારે વિધાનસભાની આ ચુંટણી કોંગ્રેસનાં વંશવાદ, જાતિવાદના કાવતરાને નાબૂદ કરવાનું જનનિર્ધારનું માધ્યમ બનશે તેમ યાદીમાં જણાવાયુ છે