Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સ્થા. જૈન મોટા સંઘમાં ચૌવિહાર હાઉસ અનુમોદક તકતી અનાવરણ

રાજકોટ : શ્રી સ્થા.જૈન મોટા સંઘ- વિરાણી પૌષધશાળા ખાતે પૂ.શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ચૌવિહાર હાઉસનો શુભારંભ કરાતાં ડો.મહેન્દ્ર અને ડો. ચંદ્રા વારીઆ (અમેરીકા) દીપક ચંદુલાલ વોરા (મોમ્બાસા), રંજનબેન જે.પટેલ (દારેસલામ) લાભાર્થી બન્યા હતા. તાજેતરમાં મોટા સંઘના પૂર્વ ઉપપ્રમુખ એમ.ડી. મહેતાની સ્મૃતિમાં મહેન્દ્ર અને યોગેન મહેતાએ લાભ લીધેલ. જે તકતીની અનાવરણ વિધિ અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, ઈશ્વરભાઈ દોશી, બકુલેશ વિરાણી વગેરેના હસ્તે પૂ.ભાનુબાઈ મ.સ. આદિ સતીવૃંદની નિશ્રામાં કરાયેલ.

(4:17 pm IST)