Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મારકુટ કરી ધમકી આપવા અંગે આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૮: અહીંના ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરવા અંગે પકડાયેલા ગોપાલનગરમાં રહેતા જયદિપસિંહ ઉર્ફે જયલો વિજયસિંહ દેવડા અને કુવાડવા રોડ ઉપર વલ્લભનગરમાં રહેતા નારાયણ ભાઇલાલ ભાઇ ડોડીયા સામેનો કેસ ચાલી જતાં અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે.

આ કામના આરોપીઓ મુળ ફરીયાદીને ગાળો બોલી, ઢીકાપાટુંનો મુંઢમાર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરિયાદીનાં મોબાઇલની ઝપાઝપીમાં પાડી દઇ અને ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરીને નાસી જઇને આરોપીઓએ ગુનો કરેલ હતો તે બાબતમાં આ કામના આરોપીઓ પર ભારતીય દંડ સહીતાની કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૪૦૩, તથા ૧૧૪ મુજબનો ગુનાઓ કર્યાની ફરિયાદ થયેલ. પરંતુ કેસ બોર્ડ પર આવતા રાજકોટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આવેલ જયા આ કેસમાં આરોપી તરફે થેલ દલીલને ધ્યાને રાખી ઉપરોકત બનાવ સમયે, સ્થળે અને વિગતે આરોપીઓએ ફરિયાદપક્ષની ફરિયાદ મુજબનું ગુનો કરેલ હોય તેં રેકર્ડ ઉપર પુરવાર કરી શકે તેમ ન હોય જેથી ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકાપણે પુરવાર કરી શકેલ ન હોવાથી આ કામના આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવેલ.

આ કામમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(4:15 pm IST)