Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મહિલાને ખુનની ધમકી આપવા અંગે આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૮: ઉપલેટાના રહિશ શોભના રતિલાલ વૈશ્નવીએ ગોંડલની કોર્ટમાં ૧૯૯ર ની સાલમાં રાજકોટના રહીશ નરેન્દ્રભાઇ કાંતિલાલ જોષી સામે ફોજદારી કેસ કરેલો કે આરોપીએ મને ઢીકા પાટુનો માર મારી એવી ધમકી આપેલી કે તારા માવતરે જઇશ તો તને તથા તારા પિતાને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ડરી જઇ ફરીયાદી શોભના રતિલાલ વૈશ્નવી એ પોલીસમાં ફરિયાદ આપેલી તપાસના અંતે આરોપી સામે ચાર્જશીટ થયેલ તે બાબતનો કેસ ગોંડલની કોર્ટમાં ચાલી ગયેલ જેમાં સરકારી વકિલે ફરીયાદી વગેરેનીાની લીધેલી આરોપીના વકિલે દલીલ કરેલ કે આ કામમાં મેડીકલ સર્ટીફીકેટ રજુ થયેલ નથી આવો બનાવ બનેલ નથી. વગેરે દલિલ માન્ય રાખી ગોંડલના મેજીસ્ટ્રેટ એસ. એસ. પટલેલે આરોપીને તા. પ-૧ર-ર૦૧૭ના રોજ નિર્દોષ છોડી મુકેલ છે. આરોપીના વકીલ તરીકે રાજકોટના એડવોકેટ એન.એસ. માણેક રોકાયેલા હતા.

(4:14 pm IST)