Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રોહીદાસપરામાં પ્રભાતભાઇ ચૂડાસમાનો સળગી આપઘાત

માતા-પિતાના મૃત્યુ બાદ તેના આઘાતમાં ચમાર યુવાને પગલું ભર્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૮: રોહીદાસપરામાં માતા-પિતાના મૃત્યુ બાદ તેના આઘાતમાં સળગી જનાર ચમાર યુવાને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રોહીદાસપરા શેરી નં. ૬ માં રહેતા પ્રભાતભાઇ બળવંતભાઇ ચુડાસમા (ઉ.વ. ૩૦) ગત તા. ૩/૧ર ના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. ખોડુભા તથા રાઇટર હરપાલસિંહ વાઘેલાએ તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ મૃતક પ્રભાતભાઇ હોઝીયરીનો વેપાર કરબતા હતા. તે બે ભાઇમાં મોટા હતા, ઘણા સમય પહેલા પિતાનું મૃત્યુ થયું હતું. બાદ પાંચ વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયા બાદ તેના આઘાતમાં તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું હતું.

(4:04 pm IST)