Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

નવલનગરમાં મોડી રાત્રે સ્મિતાબા ગોહિલ ગેસની ઝાળથી દાઝી ગયા

રાજકોટ તા. ૮: નવલનગરમાં દરગાહ પાસે રહેતાં સ્મિતાબા કિરણસિંહ ગોહિલ (ઉ.૪૦) નામના ગરાસીયા મહિલા રાત્રે એકાદ વાગ્યે પતિ માટે મમરા વઘારી રહ્યા હતાં ત્યારે ગેસની ઝાળ પહેરેલી સાડીમાં અડી જતાં ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

માલવીયાનગરના એએસઆઇ ગુલાબદાસ કુબાવત અને રાઇટર પ્રશાંતસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. સ્મિતાબાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કિરણસિંહ જયરાજસિંહને કારખાનુ છે. બનાવ અકસ્માતે જ બન્યાનું સ્મિતાબાએ જણાવ્યું હતું.

(12:10 pm IST)