Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

નિધિ સ્કુલ દ્વારા એક દિવસીય રાસોત્સવ

 વોર્ડ નં.-૧નાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કુલ એક દિવસીય 'નવરાત્રી મહોત્સવ'નું આયોજન વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે વેલવેટ પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક ખાતે કરવામાં આવેલ. પ્રારંભે માતાજીની આરતી સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા તથા ટ્રસ્ટી હર્ષાબા ચુડાસમા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે બાબુભાઇ આહીર (કોર્પોરેટર), મનીષભાઇ નાકરાણી (ડાયરેકટર, રેડવુપ કંપની ), યુવરાજસિંહ ચુડાસમા (ભા.જ.પ. અગ્રણી), પ્રવિણ જેઠવા (પ્રજાપતિ અગ્રણી), ડો. મોના (સ્ક્રીન સ્પેસ્પાલીસ્ટ) ધર્મેન્દ્રસિંહ વાળા (સમર્પણ હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેશ્વી હિંગુ, સુધાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ હતું. ''નવરાત્રી મહોત્સવ''નાં નિર્ણાયક તરીકે શ્રીમતી જલ્પાબા જાડેજા તેમજ ડો. નેહાબા ઝાલા, ભગીરથિંસહ જાડેજાએ સેવા આપેલ હતી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના વિભાગમાં પ્રિન્સ, પ્રિન્સેસ તેમજ વેલડ્રેસનાં વિજેતાઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનમાં સ્કુલનાં પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, જ્યોતિબેન સોનછાબડા, હર્ષદ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજાએ ઉઠાવેલ હતી.

(3:23 pm IST)