Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

શહેર ભાજપ અગ્રણી દિનેશભાઈ કારીયાના મોટા ભાઈ રાજુભાઈનું દુઃખદ અવસાન

સ્મશાનયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા : તા.૧૦ ગુરૂવારે રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થનાસભાઃ વિજયભાઈ અને અંજલીબેને ટેલીફોનિક વાતચીત કરી કારિયા પરિવારને સાંત્વના આપી

રાજકોટ : સ્વ મગનલાલ વિસનજી કારીયા ત્થા સ્વ કાંતાબેન મગનલાલ કારીયા ના મોટા પુત્ર રમેશભાઈ (રાજુભાઈ) મગનલાલ કારીયાનુ દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા તા ૮/૧૦/૨૦૧૯ સવારે ૮:૩૦ દિનેશભાઇ કારીયાના નિવાસસ્થાને થી નિકળશે. નિવાસ સ્થળ -  શ્રી વલ્લભ ૩૯ શ્રીમદ્દ પાર્ક, રેસકોષ રીંગ રોડ, બીગ બાઇટ રેસ્ટોરન્ટ  ની પાછળ, રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાન જશે .

રાજુભાઇ, રાજકોટ શહેર ભાજપ આગેવાન, વોર્ડ નં ૩ ના પ્રભારી અને ગુજરાત રાજય અન્ન આયોગના ડીરેકટર દિનેશભાઈ કારીયા, રજનીભાઈ કારીયા (મુન્નાભાઇ) , પારૂલબેન પંકજકુમાર ઠક્કર (બરોડા) ના મોટાભાઈ અને ઉર્વી વિશાલકુમાર સેજપાલ ના પિતાશ્રી અને રાજકોટ લોહાણા મહાજન ના કારોબારી સભ્યશ્રી ધવલ કારીયા, બલેક ગોલ્ડ ચાવાળા મીત કારીયા, અનુ કારીયા ના ભાઇજી અને મનસુખલાલ લાભુભાઇ સુચક ના જમાઇ હતા.

સદ્દગત રાજુભાઈની સ્મશાનયાત્રામાં ભાજપના આગેવાનો સર્વશ્રી ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, કશ્યપભાઈ શુકલ, માધવ દવે તેમજ સમાજના આગેવાનો શ્રી જોબનપુત્રા, કિશોરભાઈ સુચક, ધીરૂભાઈ રાજા, કીરીટભાઈ માણેક, જીતુભાઈ ચા વાળા, હેમલભાઈ સંઘવી, અરવિંદભાઈ બરછા, ગીરીશભાઈ મહેતા, સુરેશભાઈ સંઘવી, પારૂલબેન ઠક્કર, પંકજભાઈ ઠક્કર, શીલાબેન કારીયા, ઉર્વીબેન કારીયા, વિશાલકુમાર સેજપાલ (અમદાવાદ), લાભુભાઈ સુચક પરિવાર (વેવાઈ) વિ. સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. સદ્દગત રાજુભાઈ કારીયાની પ્રાર્થનાસભા તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાષ્ટ્રીયશાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ દિનેશભાઈ કારીયાને ટેલીફોન દ્વારા વાતચીત કરી કારીયા પરિવારને સાંત્વના પાઠવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૭)

(11:43 am IST)