Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રૈયાધારમાં હિતેષ પારઘીને 'તુ અહિથી કેમ નીકળ્યો?' કહી ભરવાડ શખ્સોએ પાઇપ ફટકારી હાથ ભાંગી નાંખ્યો

રવિ ભરવાડ, વિક્રમ ભરવાડ, શૈલેષ અને સાગર સામે એટ્રોસીટી હેઠળ ગુનો

રાજકોટ તા. ૮: રૈયાધાર ઇન્દિરાનગર શેરી નં. ૭માં રાણીમા ચોકમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં હિતેષ લક્ષમણભાઇ પારઘી (ઉ.૨૦) નામના વણકર યુવાન પર રાત્રીના સાડા નવેક વાગ્યે ચાર ભરવાડ શખ્સોએ પાઇપથી હુમલો કરી હાથ-માથામાં ઘા ફટકારતાં હાથ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કરતાં યુનિવર્સિટીના પી.આઇ. આર. વાય. રાવલ અને સ્ટાફે તેની ફરિયાદ પરથી રવિ ભરવાડ, વિક્રમ ભરવાડ, શૈલેષ ધોળકીયા અને સાગર બોળીયા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હિતેષના કહેવા મુજબ પોતે રિક્ષા લઇને ઇન્દિરાનગર-૭માંથી નીકળતાં ભરવાડ શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો બોલી ગાળો દઇ તું અહિથી કેમ નીકળે છે કહી ઝઘડો કર્યો હતો. બાદમાં પોતે ઘર પાસે પહોંચી જતાં ભરવાડ શખ્સોએ રિક્ષામાં લોખંડના પાઇપ સાથે આવી ફરીથી ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં પોતાનો જમણો હાથ ભાંગી ગયો હતો. તેમજ શરીરે, માથામાં મુંઢ ઇજાઓ થઇ હતી. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(4:24 pm IST)