Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શાસ્ત્રીનગરમાં શકિત આરાધનાની તૈયારીઓ

રાજકોટ : શહેરની વોર્ડ નં. ૧૧ માં સમાવેશ થતા શાસ્ત્રીનગર સોસાયટીમાં શાષાીનગર અનર્સ સર્વિસ એસો. સંચાલીત આશાપુરા ગરબી મંડળમાં વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર તેમજ શાષાીનગર સોસાયટીના પ્રમુખ ઘનશ્‍યામસિંહ એ. જાડેજાના માર્ગદર્શન છલ્લા ૧૪ વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીમાં સોસાયટીના કારોબારી સભ્‍યો ભુપેન્‍દ્રસિંહ જાડેજા, વાય. ટી. ઝાલા, અશોકસિંહ જાડેજા, મીનાક્ષીબેન ત્રિવેદી, કૌશીકભાઇ પાઠક, હાર્દિક ટાંક, અમીતભાઇ પંચાલ, કે. બી. રાણા, ધવલ વ્‍યાસ તેમજ કિશોરસિંહ રાણા તેમજ ચંદ્રશેખરસિંહ પરમારનું ઉમદા યોગાદાન આપે છે. આ ગરબી મંડળમાં ઉષૌબન સોલંકી, આરતીબેન ગોસ્‍વામી, હેમાસીબેન, તેમજ શિવાનીબેન દ્વારા ફાળવીને બાળાને ગરબાની પ્રેકટીસ કરાવે છે. તેમજ આ ગરબી મંડળનું સંપૂર્ણ સંચાલન જયદિપગીરી કે. ગોસ્‍વામી દ્વારા કરવામાં આવે છે. તેમ સોસાયટીની યાદીમાં જણાવાયુ હતું.

(3:51 pm IST)